જે સિઝનમાં વધુ મચ્છરો હોય છે ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ પણ વધી જાય છે. ત્યારે લોકો કાં તો મચ્છરોને મારવા માટે કોઇલનો ઉપયોગ કરે છે અથવા ઇલેક્ટ્રિક મોસ્કીટો રેપ્લેન્ટનો ઉપયોગ કરે છે, જેની મદદથી તેઓ મચ્છરોને ભગાડી શકે છે પરંતુ ઘણી બધી પદ્ધતિઓ હોવા છતાં લોકો હજુ પણ મચ્છરદાનીને મચ્છરોથી બચાવવા માટે સૌથી અસરકારક માર્ગ માને છે, જેની અંદર મચ્છર પ્રવેશ કરી શકતા નથી. આ માત્ર માણસોને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ સુવિધા આપે છે. એક વ્યક્તિએ પોતાની ભેંસને પણ મચ્છરદાનીમાં બાંધી અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @chhillarjugnu પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કેટલીક ભેંસ મચ્છરદાનીની અંદર બાંધેલી જોવા મળે છે. જમીન પર એક મોટી મચ્છરદાની મૂકવામાં આવી છે, જેની અંદર ભેંસ બાંધેલી છે. તેમને મચ્છરદાનીની અંદર કેમ બાંધવામાં આવી છે? એક વાત તો નક્કી છે કે ત્યાં મચ્છર હશે એટલે જ મચ્છરદાની લગાવવામાં આવી છે પરંતુ જ્યારે ભેંસોના માલિકે મચ્છરોની હાલત બતાવી તો બધા તેને જોઈને ચોંકી ગયા.
તે એટલા માટે કારણકે સ્થળ પર માત્ર એક કે બે નહીં પરંતુ મચ્છરોની આખી ફોજ છે. વીડિયોની શરૂઆતમાં વ્યક્તિએ મચ્છરદાની બહારની સ્થિતિ બતાવી હતી. ત્યાં એટલા બધા મચ્છરો હતા કે જો મચ્છરદાની ન લગાવવામાં આવી હોત તો ભેંસોની હાલત ખરાબ થઈ ગઈ હોત અને મચ્છર કરડવાથી બીમાર પડી ગઈ હોત. ભેંસોનો રંગ કાળો હોય છે, આ કારણે મચ્છરો તેમની આસપાસ વધુ મંડરાતા હોય છે.
આ વીડિયોને 41 લાખ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે જે મૂંગા પ્રાણીઓની ભાષા સમજે છે તે સાચો માણસ છે! એકે કહ્યું કે પ્રાણીઓને ઉછેરવાની આ સાચી રીત છે. જ્યારે એકે કહ્યું કે તે આ જોઈને ખૂબ જ ખુશ છે. એકે કહ્યું કે ભેંસોને પણ મચ્છરદાનીથી ઢાંકી શકે તેટલા ધનવાન હોવું જોઈએ. એકે કહ્યું- હું ઈચ્છું છું કે આ દુનિયામાં દરેક તમારા જેવું વિચારે!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech