ગુજરાતમાં હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વધતી ગરમીને કારણે રાજ્યની શાળાઓના સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ, બપોરના સમયે ગ્રાઉન્ડ પર પ્રવૃત્તિઓ ન કરાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "ગુજરાતના હવામાન વિભાગે ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે હવામાન વિભાગે શિક્ષણ વિભાગને જાણ કરી હતી. જેના પગલે પ્રાથમિક શાળાઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળાઓ તેમના વિવેકબુદ્ધિ અનુસાર સમયમાં ફેરફાર કરી શકશે. ઉનાળા દરમિયાન સવારની પ્રાર્થના સિવાય મેદાનમાં કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને વધુ પાણી પીવા અને હીટવેવથી બચવા માટેની માહિતી આપવામાં આવશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech