મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દેાષ નાગરિકોના મોત મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના તમામ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધી છે જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે દરમિયાન પીડિત પરિવારો દ્રારા બનાવેલ વિકટીમ એસો દ્રારા અલગ અલગ અરજી કરવામાં આવી છે જે મામલે જીલ્લ ા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરી માહિતી આપી હતી.
જીલ્લ ા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે જીલ્લ ા સરકારી વકીલ વિજય જાનીને સ્પે.પીપી તરીકે નિમણુક આપવામાં આવી હતી દુર્ઘટનામાં ૧૩૫ નિર્દેાષ નાગરિકોના મોત થયા હતા જયારે ૧૦૦ થી વધુ ઘાયલ થયા હતા જેની તપાસ પૂર્ણ કરી પોલીસે તા. ૨૩–૦૧–૨૩ના રોજ ચાર્જશીટ રજુ કરી હતી જેમાં ૩૬૭ જેટલા સાક્ષી છે જે દુર્ઘટનામાં પીડિત પરિવારોએ ટ્રેજેડી વિકટીમ એસોની રચના કરી છે જેના ૨ ભાગ છે જેમાં ૧૫ પીડિતો વતી રાજકોટના વકીલ અને બાકીના બે વકીલ રાખવામાં આવેલ છે જે હાઈકોર્ટમાંથી આવે છે ભોગ બનનારના વકીલે અરજી કરી રી–ઇન્વેસ્ટીગેશન અને ૩૦૨ની કલમનો ઉમેરો કરવાની માંગ કરી હતી
જે અંગે પોલીસ અને વકીલે જવાબો ફાઈલ કર્યા છે હિયરીંગમાં પીડિત પરિવારના વકીલ દલીલો કરે છે જેમાં ચાલુ હિયરીંગ સુધારાવાળી અરજી કોર્ટ રદ કરે છે અને એ ચુકાદો હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે જે હાલ વિચારણા હેઠળ છે મૂળ અરજી ૩૦૨ નો ઉમેરો કરવા અરજી કરી જેના જે તે વખતે જવાબ ફાઈલ કર્યા યાં સુધી અરજી નિકાલ નહિ થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહિ થાય અને કેસ આગળ નહિ ચાલે. અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા ૪૭ મુદતો અત્યાર સુધી પડી છે જેમાં વિકટીમ એસોના વકીલ ૨–૩ વખત હાજર રહ્યા છે તે અરજીઓનું પ્રથમ હિયરીંગ થશે
પ્રથમ અરજી બાદ અન્ય ૨ અજી ૩૦૨ ઉમેરો કરવો કે કેમ તેનું હિયરીંગ થાય ત્યારે ભોગ બનનારને સાંભળો અને બીજી અરજીમાં આરોપીને નહિ સાંભળવાની માંગ હતી જેમાં કોર્ટે ભોગ બનનાર સાંભળવા અરજી સ્વીકારી છે તો આરોપીને નહિ સાંભળવા તેવી અરજી રદ કરી છે સરકારી વકીલ તરીકે તેઓએ દરેક મુદતમાં હાજર રહીને દરેક સ્ટેજ પૂર્ણ કર્યા છે ટ્રેજેડી વિકટીમ એસો સાથે લાગણી છે અને તેમને ન્યાય મળે અને તેમને પૂરી મદદ કરવાની માનસિક તૈયારી દર્શાવી છે સરકાર કે પ્રોસીકયુશન તરફથી કોઈ બાબતે ડીલે કરવામાં આવ્યું નથી કેસ ઝડપથી ડે બાય ડે ચાલે તેના માટે સરકાર કટિબદ્ધ છે આવી ઘટનાને કેટલાક લોકો ખોટી રીતે હાઈલાઈટ કરી રહ્યા છે ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે અને પીડિત પરિવારોને ન્યાય મળશે તેમ અંતમાં જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech