આજે અગિયારસથી નાની નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. આજથી પાંચ દિવસ સુધી નાની બાળાઓ મીઠા વગરનો ખોરાક કરી માં ગૌરીનું પૂજન કરશે. આજે અષાઢી અગિયારસથી શરૂ કરીને શ્રાવણ મહિના સુધી જુદા જુદા વ્રત આવે છે. આજથી શરૂ થયેલા મોરાકત વ્રત પછી ત્રીજા દિવસે યુવતીઓ માટેનું જયા પાર્વતી નું વ્રત શરૂ થશે.
અષાઢ મહિનો એટલે વ્રત અને ઉપાસનાનો મહિનો, મોરાકત ,જયા પાર્વતી, એવ્રત જીવરત, દશામાનુ વ્રત, ફુલકાજળી સહિત વિવિધ વ્રત આવે છે. આ દરમિયાન આગામી ઓગસ્ટ મહિનાથી શ્રાવણ મહિનાનો પણ પ્રારંભ થશે. ચાતુમર્સિ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે દેવપોઢી એકાદશીથી લઈ દેવ દિવાળી સુધીના સમયગાળાને ચાતુમર્સિ કહેવામાં આવે છે. આ ચાર મહિના ભાવિકો તપ જપ ધર્મ આરાધના સાથે ભગવાનની ઉપાસના કરશે.
આજે અગિયારસની પૂનમ એમ પાંચ દિવસ સુધી નાની નાની બાળાઓ મોરાકતનું વ્રત રાખશે જેમાં જવારાનું ખાસ મહત્વ હોય છે, આ વ્રત માં જવારા માં પાર્વતીનું પ્રતીક કહેવામાં આવે છે. માટીના કોડિયામાં મગ ,તુવેર ,ચણા અને ચોખા વાવીને જવારા ઉગાડવામાં આવે છે. આજના આધુનિક સમયમાં તૈયાર જવારા પણ મળે છે.
પેલા દિવસે અને પાંચમા દિવસે સોળે શણગાર સજીને આ બાળાઓ માં ગૌરીનું પૂજન કરે છે. છેલ્લા દિવસે પૂજન પૂરું કયર્િ બાદ રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરી વ્રતને ઉજવણી કરે છે. આ વ્રત કરનાર બાળાઓ મીઠાવાળાઓ ખોરાક લઇ શકતી ન હોવાથી ફ્રુટ અને ડ્રાયફ્રુટની માંગ વધુ રહે છે.પરંતુ સુકામેવા અને ફળો મોંઘા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech