રાજસ્થાનના જયપુરમાં હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદના કારણે ફરી એકવાર મોટો હોબાળો થયો છે. ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ બસબદાનપુરાની શિયા ઈમામગાહ મસ્જિદમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેઓએ હંગામો મચાવ્યો અને કહ્યું કે આ મંદિર છે. ઘટના સમયે મસ્જિદમાં નમાઝ પઢવાની હતી. મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાજીઓ હાજર હતા. જ્યારે ધારાસભ્યએ હંગામો મચાવ્યો ત્યારે લોકોએ પોલીસને જાણ કરી પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ધારાસભ્ય બાબા બાલમુકુંદ ત્યાંથી ભાગી ગયા.
નમાઝીઓના જણાવ્યા અનુસાર શિયા ઈમામગાહ મસ્જિદમાં નમાઝ થવા જઈ રહી હતી. મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાજીઓ પહોંચી ગયા હતા. આ દરમિયાન હવામહેલના બીજેપી ધારાસભ્ય બાબા બાલમુકુંદ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. તેમણે દાવો કર્યો કે આ મસ્જિદ મંદિર અને મંદિરની જમીન પર બનાવવામાં આવી છે. આ દાવાના કારણે લાંબા સમય સુધી મસ્જિદમાં ડ્રામા ચાલી રહ્યો હતો. આ દરમિયાન શિયા સમુદાયના લોકોએ તેમને મસ્જિદ અને જમીનના દસ્તાવેજો બતાવ્યા.
બાબા પહેલા પણ હંગામો મચાવી ચૂક્યા છે
તેમને કહ્યું કે આ મસ્જિદ વકફ જમીન પર બનેલી છે. હંગામો વધી જતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ ધારાસભ્ય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મસ્જિદમાં હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે ધારાસભ્ય બાબા બાલમુકુંદે આવું કૃત્ય પહેલીવાર કર્યું નથી. તે ઘણીવાર કોઈ મસ્જિદ અથવા અન્યમાં પ્રવેશ કરે છે અને લોકોને જમીન ખાલી કરવા માટે આતંકવાદી કહીને હંગામો મચાવવાનું શરૂ કરે છે. જેના કારણે લોકોની લાગણી દુભાય છે અને તકરાર થાય છે.
મહિલાઓ સાથે ગેરવર્તનનો આરોપ
લોકોએ પોલીસને મસ્જિદની જમીન સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા. ઈમામબારડાના ઈમામે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધારાસભ્યએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં ના પાડ્યા બાદ પણ તેઓ ચપ્પલ પહેરીને પૂજા સ્થળમાં ઘૂસ્યા હતા અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઈમામે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તે પોતે એક મંદિરના સભ્ય છે ત્યારે તેમનું આ વર્તન કેટલી હદે વ્યાજબી ગણી શકાય. ઈમામ સહિત અન્ય લોકોએ જણાવ્યું કે બાબા બાલમુકુંદની સાથે કેટલાક જમીન માફિયાઓ પણ મસ્જિદમાં આવ્યા હતા. તેમની નજર 14 વીઘા કિંમતી વકફ જમીન પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech