સિહોર તેમજ ઉમરાળા, વલ્લભીપુર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા

  • May 21, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે મંગળવારે સાંજે શહેરમાં બપોર બાદ વાતવારણમાં પલટો આવ્યો હતો અને વાદળો છવાયા બાદ સાંજના સાડા - સાત વાગ્યા બાદ ક્યાંક  ધીમી ધારે તો ક્યાંક છાંટા વરસ્યા હતા.
મંગળવારે સાંજે ગઢેચી, વડલા, લાલ ટાંકી, દેસાઇનગર, ચિત્રા અને ફુલસરમાં કમોસમી વરસાદ શરુ થયો હતો. ત્યાર બાદ શહેરમાં પણ માવઠાના છાંટા શરુ થયા હતા
મે માસમાં આ વખતે ભાવનગર જિલ્લામાં બીજી વખત માવઠાનો આરંભ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.  સિહોરના સણોસરા ગામે વાઝડી સાથે કમોસમી ઝાપટા પડયા હતા. સિહોર પંથકમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે સણોસરા ગામે વાઝડી અને વીજળીના ચમકારા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. સણોસરા પંથકના આજુબાજુના ગામડાઓમાં પણ હળવાથી ભારે કમોસમી ઝાપટા વરસ્યા હતા.
રાત્રીના સોનગઢ, ઈશ્વરીયા, બજુડ, ટાણા, વરલ સહિતના પંથકમાં વરસાદી છાંટા પડ્યા છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા કિંમતી પાકને નુકસાન થવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
ઉમરાળા શહેર અને પંથકમાં પણ ક્યાંક છાંટા તો ક્યાંક હળવા ઝાપટા પડ્યા હતા.આથી રસ્તા પર પાણી વહેતા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application