કેનેડામાં ભારતીય નાગરિકની છરીના ઘા ઝીંકી હત્યા

  • April 05, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંની પોલીસે હજુ સુધી ઘટનાની વિગતો જાહેર કરી નથી, પરંતુ ભારતીય દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આજે સવારે ક્લેરેન્સ-રોકલેન્ડમાં થયેલા ગોળીબાર બાદ એક વ્યક્તિનું મોત થયું છે .જો કે, એ સ્પષ્ટ નથી કે આ એ જ ઘટના છે જેનો ઉલ્લેખ ભારતીય દૂતાવાસે પોતાની પોસ્ટમાં કર્યો છે કે નહીં. બીજી તરફ હત્યા કરવાનું કારણ પણ સામે આવ્યું નથી. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


દૂતાવાસે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે રોકલેન્ડમાં છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. પોલીસે માહિતી આપી છે કે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છીએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application