તમિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલ આર.એન.રવિએ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરેલું અભિભાષણ વાંચવાની ના પાડી અને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ભારતના સંસદીય ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે રાજ્યપાલે સંબોધન વાંચ્યું ન હતું અને વોકઆઉટ કર્યું હતું.
સત્રની શરૂઆત તમિલનાડુના રાજ્યગીત સાથે થઈ હતી. આ પછી રાજ્યપાલ આર.એન.રવિએ તેમનું ભાષણ શરૂ કર્યું અને તમિલ ફિલસૂફ તિરુવલ્લુવરની કેટલીક પંક્તિઓ વાંચી.આ પછી તેમણે કહ્યું કે, મારી વારંવારની વિનંતી છતાં સત્રની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું નથી. આમ કરવાથી રાષ્ટ્રગીત પ્રત્યે આદર દેખાય છે. આ સિવાય તેમણે કહ્યું કે, આ સંબોધનમાં આવા ઘણા ફકરા છે જેનાથી હું સંતુષ્ટ નથી. હું આનાથી નૈતિક અને વાસ્તવિક આધારો પર સંતુષ્ટ નથી.
તમિલનાડુના રાજ્યપાલે કહ્યું કેમ આ સાથે હું મારું ભાષણ સમાપ્ત કરું છું. હું ઈચ્છું છું કે, ગૃહ ચાલે અને લોકોના કલ્યાણ માટે સારી ચચર્િ થાય. આટલું કહીને રાજ્યપાલે બોલવાનું બંધ કરી દીધું. ત્યારબાદ તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ એ.અપ્પાવુએ ભાષણનો તમિલ અનુવાદ વાંચ્યો. આ દરમિયાન રાજ્યપાલ સ્પીકરની બાજુમાં બેઠા હતા. સ્પીકરે એવું કહીને ભાષણ સમાપ્ત કર્યું કે, તેને મંજૂરી માટે રાજભવન મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રગીતને લઈને વિવાદ પણ ઉકેલાઈ ગયો છે. અમે પહેલેથી જ નક્કી કર્યું છે કે, ગૃહની કાર્યવાહી રાજ્યગીતથી શરૂ કરવામાં આવે અને અંતે રાષ્ટ્રગીત વાંચવામાં આવે.
આ સિવાય સ્પીકરે કહ્યું કેમ વૈચારિક મતભેદો હોવા છતાં તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે હંમેશા રાજ્યપાલનું સન્માન કર્યું છે. આપણા વર્તનમાં કોઈ ફેરફાર નહીં થાય .તેમણે કહ્યું કે, હવે રાજ્યપાલનો ઈમાનદારી બતાવવાનો વારો છે.તામિલનાડુને તેનો હિસ્સો આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ ઉઠાવો. તેમણે કહ્યું કે, કેર ફંડમાં કરોડો રૂપિયા પડ્યા છે. જો તમે માગણી કરી હોત તો સરકારને રાહત મળી હોત અને થોડીક મદદ પણ આવી હોત, જેથી અમે પૂરના કારણે સર્જાયેલી આફતનો સામનો કરી શક્યા હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech