રાજ્યમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે તે માટે સતત સરકારને માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ માગને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય આજે કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો મળતો ન હોવાની પણ ફરિયાદો સામે આવે છે. ત્યારે ખેડૂતોની માગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઇ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલા અપાતી હતી 8 કલાક વીજળી
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં હવેથી 10 કલાક વીજળીની ફાળવણી કરાઈ છે. મહત્વનું છે કે આ પહેલા ખેડૂતોને સિંચાઈ માટે માત્ર 8 કલાક વીજળી આપવામાં આવતી હતી. જોકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે, વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે. જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવેથી ખેડૂતોને 2 કલાક વધુ વીજળી એટલે કે 10 કલાક વીજળી મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech