ઝહરા ફાઉન્ડેશન દ્વારા પીસીસીના સહયોગથી તારીખ ૨૬/૩/૨૪ થી ૯/૪/૨૪ સુધી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ "હુસેન કપ"નું આયોજન કરવામાં આવેલ છે, તા,૨૬/૩/૨૪ ના રોજ રાત્રે:૮ વાગ્યે હુસેનભાઇ ખફીની દીકરી ફાતેમા ઝહરા અને એડવોકેટ કોર્પોરેટર જેનબબેન ખફીના હસ્તે ટોસ ઉછાળી ક્રિકેટની શરૂઆત કરવામાં આવેલ છે.
ખાસ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૬૪ ટીમો ગુજરાત ભરમાંથી અલગ અલગ જિલ્લાઓ રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લાની ટીમો રમવાની છે તેમજ ગુજરાત બહારના નામાંકિત ક્રિકેટરો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુના, હરિયાણા, કોલકત્તા, થી આ ટીમોમાં રમશે તેથી આ ટુર્નામેન્ટ ખૂબ જ રસપ્રદ બનશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટની *વિનર ટીમને હુસેન કપથી નવાજી ₹1,00,000* રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ *રનરફ ટીમને રૂપિયા 50,000* નું રોકડ પુરસ્કાર મળશે તે ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસમેન ને *સાયકલ* આપવામાં આવશે.
આ સમગ્ર આયોજનમાં પીસીસીના મેમ્બર બાલકૃષ્ણ સિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, બલવંતસિંહ જાડેજા, રોહિત ઓડેદરા, ગૌરવ માડમ, કાસીમ જુણેજા, આરીફ ભાઈ દલ, રણજીતસિંહ જાડેજા, વિમલભાઈ વડગામા તેમજ pcc ની પૂરી ટીમ નો ઝહરા ફાઉન્ડેશનને ખૂબ જ સહકાર મળેલ છે
ગઈકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સારું કરવાના સમયે હાજી ઈબ્રાહીમભાઇ ખફી, હજી જુસબભાઈ જે કે, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર કાસમભાઈ જોખિયા, અસલમ ભાઈ ખીલજી,આનંદભાઈ રાઠોડ, રચનાબેન નંદાણીયા, આજકાલના સિનિયર પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી,યુથ કોંગ્રેસ પ્રમુખ તોશિફભાઈ પઠાણ, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, સામાજિક કાર્યકર હાજી રિઝવાન જુણેજા, આમીરભાઈ ગાંધી, દાઉદ ભાઈ નોતિયર, પ્રકાશભાઈ પટેલ, મૂળરાજ સિંહ જાડેજા, સાજીદ ભાઈ બ્લોચ, ચિરાગભાઈ ઝિંઝુવાડીયા, એડવોકેટ રાજેશભાઈ ગોસાઈ, યુનુસભાઈ સુલતાન,અમઝદ ભાઈ સોરઠીયા અબ્બાસ ભાઈ જેમલાણી તેમજ ખફી બ્રધર્સ ઝહરા ફાઉન્ડેશનને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહેલા હતા. આ સમગ્ર આયોજન માં ઝહેરા ફાઉન્ડેશન ની ટીમ તેમજ પીસીસીની ટીમે જહમત ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech