સિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

  • June 09, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરના ટોડા વસાહતના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો આવ્યો હતો. મૃતદેહ મળી આવ્યાના પગલે ભારે ચકચાર ફેલાઈ હતી. બનાવની જાણ થતા સિહોર પોલીસે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી  અકસ્માતે મોતની નોંધ લઈ તપાસ હાથ ધરી હતી.  



જીઆઈડીસી એકના પાત્રા રોલિંગમિલના પાછળના ભાગે રહેણાંક વિસ્તારના બંધ મકાનમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી જવા પામી હતી. બનાવની  જાણ થતાં જ સિહોર પોલીસની ટીમ ઘટના 
સ્થળે પહોંચી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવમાં રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મૃતક મહિલાનું નામ સંગીતાબેન પ્રવીણભાઈ ઉર્ફે પોપટભાઈ ધારશીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.



 તે વાઘેલા ગોવિંદભાઈના મકાનમાં રહેતા હતા.સિહોર પોલીસ તંત્રને આ બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. 


આ ઘટનાને પગલે સિહોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application