ગૌચરની જમીનને લઈને સૌથી મોટા સમાાચાર સામે આવી રહ્યા છે. ગૌચરની જમીન સરકારની નથી, આ જમીનના માલિક લોકો છે. અદાણીને આપેલી જમીન લોકોને પરત કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવા મામલે ગુજરાત હાઇકોર્ટેનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો.
મહત્વનું છે કે રાજ્ય સરકારે 231 એકર જમીન SEZ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યો. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો, ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.
હાઈકોર્ટે કાઢી ઝાટકણી
રાજ્ય સરકારે 6-7 કિ.મી. દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે કાઢી ઝાટકણી હતી. પશુપાલકો ચાલીને 6-7 કિમી પશુઓને લઈને ત્યાં જશે ? હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો. SEZ દ્વારા અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું કે, તમે સરકારનાં ઠરાવને અલગથી પડકારી શકો છો. મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે ગામની ગૌચરની જમીન લઇને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:23 PMહીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
April 07, 2025 05:47 PMપશુઓને હીટવેવથી બચાવવા પશુપાલન વિભાગ જામનગર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ
April 07, 2025 05:45 PMયોગા કે વોકિંગ: કેલરી બર્ન કરવા માટે કયું સારું?
April 07, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech