ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપના ઉપક્રમે આગામી તારીખ 25 નવેમ્બરથી તારીખ 1 ડિસેમ્બર સુધી અત્રે બંગલા વાડી - શક્તિનગર વિસ્તારમાં આવેલી ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃ મોક્ષાર્થે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શાસ્ત્રી વિજયભાઈ ડી. ભટ્ટ (મુંબઈવાળા) બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે.
આ ભાગવત સપ્તાહમાં ભોજન પ્રસાદીના દાતા ભામાશા ભીખુભા હરિસિંહ વાઢેરના સહયોગથી ભોજન પ્રસાદીનું આયોજન કરાયું છે. આ સમૂહ ભાગવત સપ્તાહમાં રૂ. 7,551 ભરીને પોથી નોંધાવી શકાશે. જે માટે તા. 1 નવેમ્બર સુધીમાં રમેશભાઈ ભાદરકા (મો. 9979241306), રવિભાઈ દવે (9408321622), વિજયભાઈ નકુમ અને ઈલાબેન વાઢેરનો સંપર્ક સાધવા સંસ્થાના પ્રમુખ હિતિશા (હેલી) સંદીપ ખેતીયા અને મહામંત્રી બીનલબેન જોશી દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech