મહોત્સવમાં જ્ઞાતિના અગ્રણીઓ, દાતાઓ સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા ગત તા. 10/2/2025 ના દિવસે શ્રી વિશ્વકમર્િ જયંતી મહોત્સવ ખુબજ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે શ્રી વિશ્વકમર્િ દાદાની ખુબ જ ભાવથી મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધ્યાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહભોજન અને રાત્રે સાંસ્ક્રુતિક કાર્યક્રમ વગેરેનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના દાતાઓ મનસુખભાઈ ઓધવજીભાઈ સુરેલીયા, ઓધવજીભાઈ જગજીવનભાઇ ભારદીયા તથા પ્રકાશભાઈ લવજીભાઈ સંચાણીયા હતાં.
આ મહોત્સવમાં જ્ઞાતિના દાતાઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં, ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ અમુભાઈ ભારદિયા (રવિ ટેકનો ફોર્જ રાજકોટ) તથા જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને ગણમાન્ય મહેમાનોએ સુંદર આયોજન તથા જ્ઞાતિના સંકુલની સુવિધાઓ અને સ્વચ્છતા માટે જ્ઞાતિના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા નાના-મોટા સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતાં. શ્રી વિશ્વકમર્િ જયંતી મહોત્સવમાં ગામ અને બહાર ગામથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં, જેને સફળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા નાના-મોટા સૌ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર મહોત્સવનું સંચાલન જયંતીભાઈ સુરેલીયા એ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech