જામનગર જિલ્લાના કાલાવડ ખાતે કારતક સુદ સાતમ પ.પૂ. સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતી નિમિત્તે કાલાવડ આઈ.ટી.આઈ. પાસે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત શ્રી જલારામ બાપાની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી જેમાં રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ બાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો,અન્નકૂટ દર્શનનો લાભ લેવા હજારો જલારામ ભક્તોએ લાભ લીધો હતો.તેમજ સાંજે સર્વે સમાજ દ્વારા બાપાની મહાઆરતી ઉતારી અને મહાપ્રસાદનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાલાવડ શહેર તથા આજુબાજુના ગામ માંથી લોકો પધાર્યા હતા.તેમજ રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો અને ભાવિભક્તો ઉપસ્થિત રહી શ્રી જલારામ બાપાની પૂજા-અર્ચના, આરતી તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા
May 19, 2025 10:50 AMખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMવીર શહીદોના સન્માનમાં જોડિયામાં તિરંગાયાત્રા
May 19, 2025 10:44 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech