આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર્રનું કેન્દ્ર ગણાતી પીડીયુ સરકારી હોસ્પિટલમાં સરકારે ન્યુરો સર્જનની કાયમી નિમણુકં કરવામાં આવતા હેમરેજ અને મગજના નિદાન માટે હવે દર્દીઓને અમદાવાદ સુધી જવાની જર નહીં પડે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને અનેકગણી રાહત મળશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડો.અંકુર પાંચાણી અને તેની સાથેની ન્યુરો તબીબની ટીમે રાજીનામા આપ્યા બાદ ઘણા સમયથી કાયમી ન્યુરો સર્જનની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર સરકારમાંથી કોઈ ન્યુરો સર્જન મુકવાને બદલે પ્રાઇવેટ પ્રેકિટસ કરતા ન્યુરો સર્જનથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. ગંભીર અકસ્માત સહિતના ઇમરજન્સી બનાવમાં ન્યુરો સર્જન ન હોવાથી દર્દીઓને અમદાવાદ રીફર કરવામાં આવતા હતા. આવા કેસમાં દર્દીનું સારવારના અભાવે મૃત્યુ થવાની શકયતા પણ નકારી શકાતી નહતી. આ બાબતે અનેક વખત સામાજિક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ, નેતાઓ અને સિવિલ હોસ્પિટલ તત્રં દ્રારા પણ કાયમી ન્યુરો સર્જન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, તાજેતરમાં રાજકોટ સિવિલની મુલાકાતે આવેલા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ મીડિયા દ્રારા ન્યુરો સર્જન માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવીલને મલ્ટી સ્પેશ્યાલિટી સેવામાં શું ઘટે છે એ સુપ્રિન્ટેન્ડેન્ટને પુછવામાં આવતા ન્યુરો સર્જન, ન્યુરો ફિઝિશિયન, કાર્ડિયાકની ઘટ હોવાનું જણાવ્યું હતું. તેમજ કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળીયા દ્રારા પણ અંગત ધ્યાન દોરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે આરોગ્ય મંત્રીની મુલાકાતના ગણતરીના દિવસમાં જ જામનગર જીજી હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. તેજસ ચોટાઈની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બદલી કરતો ઓર્ડર કરી કાયમી ન્યુરો સર્જનની જગ્યા ભરવામાં આવી છે. સરકારે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુકં કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળતી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન દરમિયાન તણાયેલ વૃદ્ધનું મોત
June 03, 2025 11:52 AMસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech