સિહોરના ઢુંઢસર ગામે રહેતા ખેડુત પિતા-પુત્રએ મુકેલ થાંભલો ત્રણ શખ્સોએ તોડી નાંખી, નુકશાન કરી ત્રણેય શખ્સોએ પિતા-પુત્રને ગંભીર મારમારી, ફરાર થઈ જતાં યુવકે ત્રણેય શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સિહોરના ઢુંઢસર વાડી વિસ્તારમાં રહેતા સંજયભાઇ ખોડાભાઇ ગોહીલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના સુમારે તેમના ઘરેથી વાડીએ લાઇટ શરૂ કરવા ગયા હતા તે વેળાએ તેમના વાડી નજીક એક થાંભલો મુકેલ હોય જે ગામમાં રહેતા લાભુ તેજાભાઈ, સંજય ભીખાભાઈ, રોહિત વીનુભાઇ થાંભલો તોડતા હોય જેને સંજયભાઇએ થાંભલો તોડીવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ જઇ સંજયભાઇને લાફા ઝીંકી દિધા હતા અને બાદમાં સંજયભાઈના પિતા ખોડાભાઈ વચ્ચે પડતા પિતા-પુત્ર બંન્નેને ત્રણેય શખ્સોએ ખંપાળી, લોખંડના પાઈપથા ગંભીર સંજયભાઈએ ત્રણેય વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech