ખુબ ટૂંકા લજીવનમાં પતિ દ્રારા હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩૧ હેઠળ કરવામાં આવેલો છુટાછેડા દાવો ફેમિલી કોર્ટ દ્રારા નામંજુર કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, દોઢ બે વર્ષના લજીવન બાદ પતિ નિમેશ ઉપેન્દ્રભાઈ સિદ્ધપુરાએ તેના પત્નિ હેતલબેન નિમેષભાઈ સિદ્ધપુરા ડોઓ. ચંદુભાઈ રાઠોડ વિદ્ધ રાજકોટની ફેમિલી કોર્ટમાં હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩૧ હેઠળ છુટાછેડા મેળવવા માટે વર્ષ ૨૦૨૧માં કેસ દાખલ કરેલ હતો. તે કેસમાં પતિ દ્રારા આક્ષેપો કરાયા હતા કે, પત્નિ દોઢ વર્ષમાં ૭ વખત વિના કારણે પિતાના ઘરે ચાલ્યા ગયેલ છે, અગાઉ પત્નિની સગાઈ થયેલ હતી, ત્યાંથી મોટી રકમ લીધેલ છે, તેમજ પત્નિનો ગુસ્સાવાળો સ્વભાવ તેમજ અવાર નવાર મરી જવાની ધમકી આપે છે તેમજ પતિ ઉપર શંકાઓ કરે છે. તેમજ પક્ષકારો વચ્ચે અગાઉ સમાધાન થયેલ છે અને તે સમાધાનમાં બન્ને પક્ષકારોને સમજુતિથી રહેવાનું છે, તેમજ પત્ની મોબાઇલ ફોન લઇ અલગ અલગ સાઈટમાં આખો દિવસ રચ્યા પચ્યા રહીને કંકાસ કરે છે તેવા આક્ષેપો સાથે પતિ દ્રારા પત્નિ વિદ્ધ કોર્ટમા છુટાછેડા મેળવવા માટે દાવો દાખલ કરેલ હતો.
આ દાવો ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારોના તમામ પુરાવા લીધા બાદ બન્ને પક્ષકારોના વકીલો દ્રારા કરેલ દલીલને ધ્યાને લઇને કોર્ટ દ્રારા પતિ દ્રારા કરવામાં આવેલ સોગદં ઉપર પુરાવામાં પત્નિએ ક્રુરતા કે કોઈપણ જાતની માનસિક શારિરીક ત્રાસ ગુજારી હોય તેવું તેની અરજી, પુરાવાનું સોગંદનામું તેમજ તેની ઉલટ તપાસ દ્રારા સાબિત કરેલ ન હતું તેથી ફેમિલી કોર્ટ દ્રારા પતિ દ્રારા કરેલ હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩૧ના એકપણ કારણ સાબિત કરવામાં આવેલ ન હોવાથી પતિનો છુટાછેડાનો દાવો નામંજુર કરવામાં આવેલ છે. આ કેસમાં પત્નિ તરફે લીગલ એઇડના યુવા એડવોકેટ ધવલ જે. પડીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech