સુપ્રીમ કોર્ટે રૂ. 429 કરોડના મની લોન્ડરિંગના કેસમાં આરોપી અને પૂણેની કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચેરમેનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે પૂર્વ અધ્યક્ષ અમર સાધુરામ મૂળચંદાનીના મેડિકલ રિપોર્ટની સમીક્ષા કયર્િ બાદ આ નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જામીન માટે કડક શરતો છે, તેમ છતાં બીમાર અને નબળા વ્યક્તિને જામીન આપી શકાય છે.આ તકે સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે પીએમએલએ કાયદો ગમે તેટલો કડક હોય,કાયદાની મયર્દિામાં રહીને ગરીબ અને નબળા તેમજ બીમાર લોકોને જામીન આપી શકાય છે’ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં 1 જુલાઈ, 2023ના રોજ તેની ધરપકડ કરી હતી.
મની લોન્ડરિંગ કેસની સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું, પીએમએલએ કાયદો ગમે તેટલો કઠોર હોય, ન્યાયાધીશ તરીકે અમારે કાયદાના ચારેય ખૂણામાં રહીને કામ કરવું પડશે. કાયદો અમને કહે છે કે બીમાર અને સંવેદનશીલ વ્યક્તિને જામીન મળવી જોઈએ.
વાસ્તવમાં, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ સેવા વિકાસ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન અમર સાધુરામ મૂળચંદાની (67) દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ મની લોન્ડરિંગના આરોપમાં 1 જુલાઈ, 2023 ના રોજ તેની ધરપકડ કરી હતી. ખંડપીઠે તેના આદેશમાં કહ્યું, પીએમએલએની કલમ 45(1) ની જોગવાઈ ખાસ કરીને વિચારે છે કે જો કોઈ વ્યક્તિ ’બીમાર અથવા અશક્ત’ છે અને વિશેષ અદાલત આ પ્રમાણે નિર્દેશ કરે છે, તો તેને જામીન પર મુક્ત કરી શકાય છે.
બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જેજે ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, મુંબઈની મેડિકલ ટીમ દ્વારા આપવામાં આવેલા તબીબી મૂલ્યાંકનના આધારે તે સ્પષ્ટ છે કે અરજદાર જામીન પર મુક્ત થવા માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરે છે. આ વર્ષે 9 ઓગસ્ટે બોમ્બે હાઈકોર્ટે તબીબી આધાર પર મૂળચંદાનીની જામીન માટેની બીજી અરજી ફગાવી દીધી હતી. આ પછી તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, જેણે 2 સપ્ટેમ્બરે નોટિસ જારી કરી. 4 ઑક્ટોબરે, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જેજે ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ, મુંબઈની ટીમ દ્વારા નવેસરથી તબીબી મૂલ્યાંકન કરવામાં આવે. મૂલ્યાંકન ચાર નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને કોર્ટમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.મૂળચંદાની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અરજદાર કિડનીની દીર્ઘકાલિન બિમારીથી પીડિત છે અને કેદમાં હોવા છતાં રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઠાડચ ગામે જુગાર રમી રહેલા વાડી માલિક સહિત સાત શખ્સો ઝડપાયા
June 05, 2025 02:48 PMઆજે વિશ્ર્વ પર્યાવરણ દિન: પર્યાવરણ પ્રત્યે સભાન બનવાનો દિવસ
June 05, 2025 02:47 PMફાકીની ના કહેનારની હત્યાના ગુનાના એક આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
June 05, 2025 02:44 PMબોગસ ખાતા ખોલાવી લાખોનો સાયબર ક્રાઇમના બે આરોપીની જામીનઅરજી રદ
June 05, 2025 02:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech