આજે વિશ્ર્વ પર્યાવરણ દિન: પર્યાવરણ પ્રત્યે સભાન બનવાનો દિવસ

  • June 05, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પાંચમી જુન એટલે કે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે,અત્યારે પોરબંદરમાં પર્યાવરણ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર દ્વારા મહત્વના સુચનો શહેરીજનોને કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં ૧૫૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના ટાર્ગેટને ધ્યાને રાખીને સ્થપાયેલી સંસ્થા આપણું પોરબંદર ગ્રીન પોરબંદરના પર્યાવરણ પ્રેમી અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડિયા,પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમારે જણાવ્યું હતુ કે,પર્યાવરણ દિવસની ઉજવણી એક દિવસ કરી હતી એ પરંતુ બારેમાસ પર્યાવરણના જતન અને જાળવણી માટે જાગૃત બનવું જ‚રી બન્યું છે. અમારી સંસ્થા દ્વારા ૧૫૦૦૦ જેટલા વૃક્ષોના વાવેતરના મહાઅભિયાનનો મધ્યાહન થયો છે અને અમે ૯૦૦૦ જેટલા વૃક્ષો વાવી દીધા છે. અને ૧૫૦૦૦ થી પણ વધુ વૃક્ષો વાવવાની અમારી તમન્ના છે.તેના માટે શહેરીજનો અને સામાજિક સંસ્થાઓનો અમને ભરપુર સહયોગ મળી રહ્યો છે,તેની સાથો સાથ હવે લોકજાગૃતિ પણ જ‚રી બની છે. 



જુદી-જુદી શેરી ગલીઓમાં આવેલા પડતર પ્લોટમાં અને સાર્વજનિક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે તે જ‚રી બન્યું છે. સંસ્થાઓ જ પ્રવૃત્તિ કરશે તેવું માનવાને બદલે લોકોને પણ તેમની આજુબાજુના વિસ્તારમાં રહેલી ખાલી જગ્યામાં વૃક્ષો વાવી દેવા જોઈએ અને ચોમાસુ નજીક છે ત્યારે ઓટોમેટીક આ વૃક્ષોને પાણી મળશે એટલે તેની મેળે તેનો વિકાસ થશે.થોડું ઘણું ખાતર નાખવાની અને તેના ફરતે ફેન્સીંગ બાંધવાની જવાબદારી સ્થાનિકકક્ષાએ લોકોએ માથે ઉપાડી લેવી જોઈએ. 



જુદી-જુદી શેરીના લોકોએ તેમના વિસ્તારના સાર્વજનિક પ્લોટ અને ચોક સહિત મુખ્ય રસ્તાની બંને બાજુએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને એ વૃક્ષોના જતનની જવાબદારી માથે ઉપાડીને પોરબંદરને ખરાઅર્થમાં હરિયાળું બનાવવામાં સહયોગ આપવો જોઈએ. 



આગેવાનોએ જણાવ્યુ હતુ કે,ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ગંભીર બની રહી છે અને દર વખતે ઉનાળો વધુ આકરો પસાર થઈ રહ્યો છે અને હજુ ગરમીનું પ્રમાણ વધવાનું છે ત્યારે વૃક્ષો નહી વાવીએ અને અત્યારથી નહી જાગીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો વેઠવા પડશે તે પણ હકીકત છે.


આપણા પોરબંદર શહેરમાં તો વર્ષોથી વૃક્ષો પ્રત્યે પ્રેમ ધરાવનારા નાગરિકો વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરી રહ્યા છે,શહેરના વાડિયા રોડ હોય કે રેલ્વે સ્ટેશન રોડ હોય કે એસ.વી.પી. રોડ હોય કે ચોપાટી નજીકનો વિસ્તાર હોય સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ ઉપર ઘટાટોપ વૃક્ષો જોવા મળી રહ્યા છે તે પર્યાવરણ પ્રેમી પોરબંદરવાસીઓને આભારી છે.
ત્યારે આજના દિવસે રામદેવભાઈ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કમ સે કમ એક વૃક્ષનું આરોપણ તેમના ઘર નજીક કરે અને તેને ઉછેરવાની જવાબદારી સ્વીકારી લે તો સાચા અર્થમાં આપણે પોરબંદરને વહેલીતકે હરિયાળું બનાવી શકશું તેવી અપીલ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application