પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર મંડળમાં સ્વચ્છતા પખવાડા દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારની માર્ગદર્શિકા અનુસાર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ અભિયાનમાં તેમની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય. ભાવનગર રેલ્વે મંડળના સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ, આરોગ્ય એકમો, કચેરીઓ અને કોચીંગ ડેપોમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ૨૦ સપ્ટેમ્બરને શુક્રવાર ના રોજ, ભાવનગર પરા ના રેલ્વે સ્ટેડિયમ કોલોની ખાતે મંડળ કચેરી ભાવનગર પરા ના સ્થાપના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કર્યું હતું. અને વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને તમામ કર્મચારીઓએ ગર્વ અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech