સ્વસ્થ અને ફિટ રહેવા માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવાની સાથે સંતુલિત આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ લોકો પોતાની ખાનપાન પર ધ્યાન આપવા લાગ્યા છે. લોકો કસરત કરે છે. સ્વસ્થ આહાર અને જ્યુસનું સેવન કરે છે. જ્યુસ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે મોટાભાગના લોકો રોજ જ્યુસનું સેવન કરે છે. ફળ અને શાકભાજીના જ્યુસ બંને સ્વાસ્થ્યને પોષણ આપે છે. ઉનાળામાં આને પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને એનર્જી મળે છે. સ્વાસ્થ્ય ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
ઘણા પ્રકારના ફળો અને શાકભાજીને મિક્સ કરીને જ્યુસ બનાવવામાં આવે છે જેમાં ભરપૂર પોષક તત્વો, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. જે આપણા શરીરને પોષણ આપવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો સવારે ખાલી પેટ જ્યુસનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ નિષ્ણાંતો આની ભલામણ કરતા નથી. કારણ કે ખાલી પેટે જ્યુસનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાંતો શું કહે છે?
નિષ્ણાંતો ડૉકટર કહે છે કે, ખાલી પેટે જ્યુસ પીવાથી શુગર લેવલ વધે છે. આ સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીને ખાલી પેટે જ્યુસ પીવાથી શુગર લેવલ વધારવા ઉપરાંત ગેસની સમસ્યા અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સવારે ખાલી પેટે જ્યુસ ન પીવો. ડૉક્ટર કહે છે કે જ્યુસ પીવા કરતાં ફળોનું સેવન કરવું વધુ સારું છે. તેથી ખોરાક ખાવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં અથવા પછી ફળોનું સેવન કરવાનો પ્રયાસ કરો.
જો તમે કોઈ પણ સમસ્યાથી રાહત મેળવવા માટે જ્યુસ પીતા હોવ તો તેના માટે જ્યુસનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. જેનાથી વધારે માત્રામાં કેલરી લેવાનું શક્ય બને છે આના કારણે વજન વધવાની શક્યતાઓ વધુ રહે છે. તેથી તાજા અને સુગર ફ્રી જ્યુસનું સેવન કરવાનો પ્રયાસ કરો. તે પેઢાં માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે, તેથી જ્યુસનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech