જામનગર મહાનગરપાલીકાએ સને–૧૯૯૯ માં ઠરાવ કર્યો છે તેને ૨૬ વર્ષ વિતી ગયા છતાં અમલવારી નહી...!?
જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન સામેના ચોકને જામનગર મહાનગર પાલીકાએ જનરલ બોર્ડની બેઠકમાં તા.૨૦/૧૦/૧૯૯૯ ના ઠરાવ નં.૨૫ થી પ્રખર સમાજ સુધારા જયોતિરાવ ફૂલે ચોક નામભિધાન કરેલ છે. ત્યારબાદ જૂદી-જૂદી સંસ્થાઓએ આ ઠરાવની અમલવારી કરવા મહાનગર પાલીકાને અનેકવાર રજૂઆત કરેલ છે પણ નિંભરતંત્રએ દાદ દીધી નથી. ૨૬ વર્ષ જેટલો લાંબો સમય વિતી જવા છતાં કોઈ અગમ્ય કારણોસર કશી જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
આ ચોકમાં પ્રતિવર્ષ ૧૧ મી એપ્રિલે જયોતિરાવ ફૂલે ના જન્મ દિવસ નિમિતે કાર્યક્રમ રાખવામાં આવે છે તથા અહીં મહાનગર પાલીકાએ જે તે વખતે ' જયોતિરાવ ફૂલે ચોક ' ના ત્રણ બોર્ડ લગાડેલ હતા. આ પૈકી બે બોર્ડ નીકળી ગયા છે. હાલમાં ફક્ત એક જ બોર્ડ લગાડેલુ છે.
આ ચોકનું ડેવલપમેન્ટ તાકીદે કરવા તથા જયોતિરાવ ફૂલે ની પ્રતિમા મુકવા જામનગરના ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.અને માઈનોરીટી સમાજના ઉપક્રમે તા.૨૧-૨-૨૫ ને શુક્રવારે સવારે ૧૦ થી ૦૧ સુધી લાલ બંગલા સર્કલમાં મહાનગર પાલીકા સામે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ત્યારબાદ આ પ્રશ્ન વહેલીતકે કામગીરી શરૂ કરવા માટે મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, વિરોધ પક્ષના નેતા અને મ્યુનિ.કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવશે. આ આવેદનપત્રની નકલ તમામ – ૬૪ કોર્પોરેટર્સને પણ અપાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.અને માઈનોરીટી સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech