જેતપુરમાં નગરપાલિકા સંચાલીત સરદાર ગાર્ડનમાં ગતરોજ એક કિશોર બાલક્રીડાગણમાં આવેલ ફેમીલી જુલામાં અકસ્માતે પડી જવાથી તેને માથામાં હેમરેજ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપયું હતું. તાજેતરમાં જ ગાર્ડનનું કરોડ પિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ તેમાં મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપ તત્કાલીન સમયે સતા પક્ષના સભ્યો જ કરી ચુકયા છે.કહેવાતી એ ગ્રેડની જેતપુર નગરપાલિકા હસ્તકના શહેરમાં બે ગાર્ડન આવેલ છે. એક સરદાર ગાર્ડન અને બીજો સોમનાથ ગાર્ડન જેમાં સોમનાથ ગાર્ડન છેલ્લ ા દસ વર્ષથી બધં છે યારે શહેરની મધ્યમાં આવેલ સરદાર ગાર્ડનને હાલમાં જ રીનોવેશન કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ લગભગ ૧.૨૦ કરોડ પિયાને ખર્ચે રીનોવેશન કયુ પરંતુ તે કામમાં રીનોવેશન પહેલા જેવો ગાર્ડન હતો તેનાથી પણ બદતર હાલતનો થઈ ગયો છે. એટલે કે રીનોવેશન કામમાં ખૂબ મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના ખુદ સતા પક્ષના સભ્યો જ જે તે વખતે આક્ષેપ કરતા હતાં. બગીચામાં અન્ય જગ્યાએ તો સુવિધા અને સલામતીના નામે મીંડું છે પણ બાલક્રીડાગણમાં પણ સલામતીના નામે મીંડું છે. અહીં બાળકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ નથી. આ અંગે ગાર્ડન કમીટીના ચેરમેન કિરણબેન દિલીપભાઈ રાદડિયાએ જણાવેલ કે, સીસીટીવી કેમેરા ફિટ કરવાની મેં લેખિતમાં નગરપાલિકા પાસે માંગ કરી છે. પરંતુ તેનો કોઈ રિસ્પોન્સ નથી આવ્યો.
આવી સલામતીના અભાવે જ શનિવારે સાંજના સમયે એક કિશોરને અકસ્માતે જીવ ખોવો પડો. ટાકુડીપરા વિસ્તારમાં રહેતો ક્રિશ અશ્વિનભાઈ ગાલોરિયો નામનો કિશોર ગતરોજ સરદાર ગાર્ડનના બાલક્રીડાગણમાં ફેમીલી જુલામાં પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અકસ્માતે તે જુલામાં પડી જતા તેને માથાના ભાગે ઇજા પહોંચતા તેને તરત જ સારવાર માટે સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવ્યો ત્યાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પીટલ રીફર કરવામાં આવ્યો હતો. યાં ક્રિશને માથામાં હેમરેજનો રીપોર્ટ આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech