પતિ દ્વારા મહિલાની હત્યા સંબંધિત હાલના કેસમાં, બેન્ચે કહ્યું કે પીડિતાની પુત્રી તાલીમ પામેલી સાક્ષી હોવાનું દર્શાવવા માટે રેકોર્ડ પર કંઈ નથી. કોર્ટે કહ્યું, જે કિસ્સાઓમાં પતિઓ તણાવપૂર્ણ વૈવાહિક સંબંધો અને તેમના ચારિત્ર્ય પર શંકાને કારણે તેમની પત્નીઓની હત્યા કરવાની હદ સુધી જાય છે, તે ઘણીવાર કોર્ટ સમક્ષ સાંભળવામાં આવે છે. બેન્ચે કહ્યું કે આવા ગુનાઓ સામાન્ય રીતે ઘરની અંદર સંપૂર્ણ ગુપ્ત રીતે કરવામાં આવે છે અને ફરિયાદ પક્ષ માટે પુરાવા રજૂ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે.
બેન્ચે કહ્યું કે પુરાવા કાયદાની કલમ 118 મુજબ, બાળ સાક્ષીના પુરાવા નોંધતા પહેલા ગૌણ અદાલત દ્વારા પ્રારંભિક તપાસ હાથ ધરવી જરૂરી છે. જેથી, એ જાણી શકાય કે સાક્ષી પુરાવા આપવાની પવિત્રતા અને તેને પૂછવામાં આવતા પ્રશ્નોના મહત્વને સમજી શકે છે કે નહીં. મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટે જૂન 2010 માં પોતાનો ચુકાદો આપ્યો.
૨૦૦૩માં એક મહિલાની હત્યાના આરોપી પુરુષને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પીડિતાની પુત્રી (જે ઘટના સમયે 7 વર્ષની હતી) જુબાની આપવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેની જુબાની ખૂબ જ નબળી જણાઈ હતી. ખાસ કરીને, પોલીસ સમક્ષ તેમનું નિવેદન નોંધવામાં 18 દિવસનો વિલંબ થયો. સુપ્રીમ કોર્ટે અપીલ મંજૂર કરી અને હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો. તેણે નીચલી અદાલતના ચુકાદાને પુનઃસ્થાપિત કર્યો જેમાં તે વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બેન્ચે તેમને સજા ભોગવવા માટે ચાર અઠવાડિયામાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા : હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું
February 25, 2025 01:33 PMકેબિનેટમંત્રીએ જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 25, 2025 01:03 PMમહાશિવરાત્રી પર શા માટે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવામાં આવે છે? જાણો રુદ્રાભિષેકના પ્રકાર
February 25, 2025 12:50 PMજામનગર : હાલારમાં કાલે મહાશિવરાત્રિ નિમિત્તે ‘ૐ નમ: શિવાય’નો નાદ ગુંજી ઉઠશે
February 25, 2025 12:45 PMજામનગરમાં કેટલાક વિસ્તારોમાં ઠેર ઠેર વીજચેકીંગ
February 25, 2025 12:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech