સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી

  • February 25, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભકિત, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ યોતિલિગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. સોમનાથ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મંદિરના પ્રાંગણમાં પ્રવેશી મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા–અર્ચના કરી હતી.
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્રારા મુખ્યમંત્રીને પ્રસાદભેટ આપવામાં આવી હતી. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રધુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર તથા ગીર–સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application