ગુજરાત રાજયના પંચાયત મંત્રી બચુ ખાબડના બે પુત્રોએ આચરેલા મનરેગા યોજનાના કરોડો ના ભ્રષ્ટ્રાચાર ને લઈને વિવાદમાં છે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત બાદ રાયમંત્રી મંડળમાં વિસ્તરણ થાય તેવા સંકેત હતા અને મંત્રી બચુ ખાબડ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે તેવી ચર્ચા જોર શોરમાં હતી. પરંતુ હાલની પરિસ્થિતિ અને સંજોગો જોતાં મંત્રી મંડળ ફેરફાર કરવામાં આવશે નહીં તેમ રાજકીય પંડિતો કહી રહ્યા છે.
મંત્રીના સંતાનો દ્રારા કરવામાં આવેલા કૌભાંડને લઈને પ્રજા વચ્ચે ખોટો સંદેશો જાય તેના બદલે વિવાદ શાંત પડે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધા વગર મંત્રી બચુભાઈ ખાબડને ભૂગર્ભમાં ઉતારી દેવાયા છે એમને જાહેર કોઈ પણ કાર્યક્રમમાં કે બેઠકમાં હાજરી નહીં આપવા મામલે હાઈ કમાન્ડ દ્રારા સૂચના આપવામાં આવી છે.
પાટનગર ના સુત્રોમાં ચાલતી ચર્ચા મુજબ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી માટે મોડલ સરકાર છે આ મોડલ સરકારના મંત્રીના પરિવારજનો જ જો ભ્રષ્ટ્રાચાર કરતા હોય તો દેશમાં ખોટો સંદેશો જાય બે બાબતને ધ્યાનમાં રાખીને હાલના સંજોગોમાં મંત્રી બચુ ખાબડનું રાજીનામું પણ લેવામાં આવશે નહીં તેમ જ મંત્રીમંડળમાં વિસ્તરણ કરાશે નહીં.
અહીં નોંધવું જરી છે કે રાય સરકાર દ્રારા આ અગાઉ ત્રણથી ચાર વખત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ઉપડી હતી પરંતુ એ કયા બીજા કારણોસર આ મંત્રીમંડળનુ વિસ્તરણ થઇ શકયુ નથી. હવે મંત્રી બચ્ચું ખાબડ નો મામલો આવીને ઉભો રહ્યો છે તેવા સંજોગોમાં સરકાર ફુકી ફુકીને ચાલવા તરફ આગળ વધી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં કોરોનાના ટેસ્ટના આંકડા છૂપાવવાની તંત્રની કવાયત શરમજનક!
May 31, 2025 03:01 PMRTE :૧૦ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકોને મળશે પ્રવેશ
May 31, 2025 03:01 PMઅર્જુન મોઢવાડીયાની મંત્રીપદ મેળવવા માટેની કસરત ફળશે?!
May 31, 2025 03:00 PMપોરબંદરમાં ૧૦૭ સ્ટ્રીટલાઇટ અને ૬ પાઇપલાઇનના થયા સમારકામ
May 31, 2025 02:59 PMમાફિયા મુખ્તારના પુત્ર અબ્બાસ અંસારીને હેટ સ્પીચ કેસમાં બે વર્ષની સજા, ૨૦૦૦ દંડ
May 31, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech