RTE :૧૦ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકોને મળશે પ્રવેશ

  • May 31, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાલીઓની રજૂઆત બાદ સરકાર દ્વારા દિવ્યાંગ બાળકને ધો.૧માં પ્રવેશ માટે છૂટ આપવામાં આવી



  છઝઊ એક્ટ એટલે કે એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ ૬ વર્ષે ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ધો.૧માં પ્રવેશના નિયમમાં આખરે દિવ્યાંગ બાળકો અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવે છે. પણ સરકારના નવા નિર્ણય મુજબ દિવ્યાંગ બાળક ૬ વર્ષને બદલે હવે ૧૦ વર્ષ સુધી ધો.૧માં પ્રવેશ મેળવી શકશે. એટલે દિવ્યાંગ બાળકોને ધો.૧માં આરટીઇ અંતર્ગત પ્રવેશમાં ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે.
  આ અંગે મળતી માહિતી મુજબ માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને છ વર્ષે ફરજિયાત ધો.૧માં અભ્યાસ કરવાના નિયમથી અનેક મુશ્કેલી ઊભી થતી હતી. જેથી નિયમમાં ફેરફારની અનેક માગણીઓ સાથે સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી જેને ધ્યાને લઇ સરકાર દ્વારા એક્ટની જોગવાઇમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે. 
  જે મુજબ ૧૦ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકો ધો.૧માં પ્રવેશ લઇ શકશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોમાં ધો.૧માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ કરાયો છે. જેમાં જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે બાળકને ૧લી જૂને ૬ વર્ષ થયેલા હોવા જોઇએ અને તો જ બાળકને ધો.૧માં પ્રવેશ મળી શકે. આ ઉપરાંત યુડાયસ-અપાર આઇડી તએનરોલમેન્ટ સિસ્ટમમાં પણ ૬ વર્ષનું બાળક ધો.૧માં ભણતું હોવું જોઇએ અને ૭ વર્ષનું બાળક ધો.૨માં તથા ૮ વર્ષનું બાળક ધો.૩માં હોવું જોઈએ.  કોઇ દિવ્યાંગ બાળકને કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય અને વાલી તે બાળકને ૭ વર્ષે ૮ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ લેવા ઇચ્છે તો પણ લઈ શકતા ન હતા. કારણ કે, પ્રવેશ માટેના નિયમો અને ઓનલાઈન સિસ્ટમને કારણે વિદ્યાર્થીએ તેની વયમર્યાદા પ્રમાણે ફરજિયાત જે તે વર્ષમાં જ પ્રવેશ લેવો પડે છે.પરંતુ હવે આ દુવિધા દૂર થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application