કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું કે નવાઈની વાત છે કે જે લોકો બંધારણ અને લોકશાહીની આત્મા પર હુમલો કરે છે તેઓ બંધારણ હત્યા દિવસની ઉજવણી કરશે.
કેન્દ્ર સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે 1975માં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25 જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી આપણને યાદ અપાવશે કે જ્યારે બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું હતું.
પ્રિયંકાએ શું કહ્યું?
પ્રિયંકાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'ભારતના મહાન લોકોએ ઐતિહાસિક લડાઈ લડીને તેમની સ્વતંત્રતા અને તેમનું બંધારણ જીત્યું છે. જેમણે બંધારણ બનાવ્યું, જેમને બંધારણમાં શ્રદ્ધા છે તેઓ જ બંધારણની રક્ષા કરશે.
ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'સંવિધાનના અમલીકરણનો વિરોધ કર્યો, બંધારણની સમીક્ષા માટે કમિશન બનાવ્યું, બંધારણને ખતમ કરવાની હાકલ કરી, પોતાના નિર્ણયો અને કાર્યોથી બંધારણ અને લોકશાહીની આત્મા પર વારંવાર પ્રહારો કર્યા એવા નકારાત્મક રાજકારણ ધરાવતા લોકો 'સંવિધાન હત્યા દિવસ' ઉજવશે જ તેમાં કંઈ આશ્ચર્યજનક નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર, જાણો કઈ તારીખે મતદાન અને પરિણામ આવશે
May 25, 2025 10:03 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech