શુક્રવારે બાઈક રેલી યોજીને આવેદનપત્ર અપાશે -
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અને હિંદુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિંદુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયામાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ખંભાળિયાના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ ગંભીર મુદ્દે રેલી યોજી, જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આને અનુલક્ષીને ખંભાળિયાના હિંદુ અસ્મિતા મંચ દ્વારા આગામી શુક્રવાર તા. 6 ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે અહીંના જોધપુર ગેઈટથી એક વિશાળ બાઈક રેલી સ્વરૂપે અહીંના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ આયોજનમાં દરેક જ્ઞાતિજનો, મિત્ર મંડળ, હિન્દુ ભાઈ-બહેનો અને સંસ્થાઓના કાર્યકરોને વિશાળ સંખ્યામાં જોડાવા માટે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech