કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા કરસનભાઈ ચકુભાઈ કછેટીયા નામના ૫૨ વર્ષના દલવાડી આધેડ તેમના પત્ની કાંતાબેન (ઉ.વ. ૪૨) ને સાથે લઈને ગત તારીખ ૧૪ મીના રોજ ભાટીયાથી ક્રિષ્નાનગર ગામે જવા માટે તેમના જી.જે. ૩૭ એચ. ૭૯૪૦ નંબરના મોટરસાયકલ પર નીકળ્યા હતા.
ત્યારે ભાટીયાના રેલવે ફાટક નજીક પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરતા કરસનભાઈએ મોટરસાયકલને તાકીદની બ્રેક મારી હતી. જેના કારણે પાછળ બેઠેલા તેમના પત્ની કાંતાબેન બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ કરસનભાઈ ચકુભાઈ કછેટીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાપાનના કૃષિ મંત્રી તકુ એટોને ચોખા પરના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજીનામું આપ્યું
May 21, 2025 11:18 AMમધ્યપ્રદેશમાં સરપંચે 20 લાખની લોન ચૂકવવા માટે પંચાયત ભાડે આપી દીધી
May 21, 2025 11:17 AMકાલાવડ ટાઉન પોલીસે એક આસામીના રૂપિયા ૧૨ લાખના ઘરેણાં પરત અપાવ્યા
May 21, 2025 11:17 AMનાયબ બાગાયત નિયામકની કચેરી જામનગર દ્વારા વક્તા તરીકે નિષ્ણાંતોની પસંદગી કરાશે
May 21, 2025 11:16 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech