પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળમાં દટાયેલી જીવ સૃષ્ટ્રીને શોધવા મથતા વૈજ્ઞાનિકોને જબરી સફળતા મળી છે અને વૈજ્ઞાનિકોની ટીમે અત્પત શોધ કરી છે. ટીમને ઉડા સમુદ્રમાં પનપતા જીવનનો ખજાનો હાથ લાગ્યો છે. બહુકોશીય જીવોની આખી શ્રુંખલા પ્રશાંત મહાસાગરની મધ્યમાં સમુદ્રના તળના ભાગો નીચે મળી આવી છે. આવા સ્થળોએ સૂમજીવાણુઓ અને વાયરસ મળી આવ્યા છે, પરંતુ નવા સંશોધનો સૂચવે છે કે મોટા પ્રાણીઓ પણ ત્યાં રહી શકે છે. આ શોધ આપણે જાણીએ છીએ તેના કરતાં વધુ જટિલ હાઇડ્રોથર્મલ ઇકોસિસ્ટમ તરફ નિર્દેશ કરે છે. આ વિસ્તાર દરિયાના ઐંડાણમાં કાયમી અંધકારમાં ડૂબેલો રહે છે. આવા સ્થળોએ, અતિશય દબાણ અને તીવ્ર ઠંડીને કારણે, આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જે હવાથી ભરેલી સપાટી પર રહેતા મનુષ્યો માટે અત્યતં પ્રતિકૂળ હોય છે.
સંશોધકોએ તેમના અભ્યાસમાં પૂર્વ પેસિફિક રિજ પર ધ્યાન કેન્દ્રિત કયુ. તે પેસિફિક મહાસાગરના તળિયે વાળામુખી સક્રિય રીજ છે યાં બે ટેકટોનિક પ્લેટો મળે છે. દરિયાની સપાટીથી ૨,૫૧૫ મીટર (૮,૨૫૦ ફટ) નીચે, પૂર્વ પેસિફિક રાઇઝના હાઇડ્રોથર્મલ વેન્ટસ માનવો માટે અગમ્ય છે. પરંતુ સમુદ્રના તળનો આ વિસ્તાર વાળામુખી સક્રિય છિદ્રોથી ભરેલો છે, જેમાંથી ગરમી અને ખનિજો નીકળે છે. હાઇડ્રોથર્મલ વેન્ટસમાં વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ જોવા મળે છે. કેટલાક વિજ્ઞાનીઓનો અંદાજ છે કે પૃથ્વી પરના જીવનની ઉત્પત્તિ આ ઐંડા દરિયાઈ છિદ્રોમાં થઈ છે. વૈજ્ઞાનિકોએ રિમોટલી ઓપરેટેડ વ્હીકલ સબ–એસ્ટિયનની મદદથી આ વેન્ટસની આસપાસ વધતા જીવનની શોધ કરી. સંશોધકોએ સમુદ્રના તળની નીચે ગરમ પાણીના છીછરા પોલાણને બહાર કાઢવા માટે વેન્ટની નજીક લાવા રોક શેલ્ફ ઉભા કર્યા. સબ–એસ્ટિયનની છબીઓએ પોલાણની અંદરના સમુદાયોમાં રહેતા વિશાળ ટુબવોમ્ર્સ, ગોકળગાય અને મસલ્સની વસાહતો ઉજાગર કરી છે
નવી શોધથી શું શીખ મળી
સમુદ્રતળ પરના મોટાભાગના પ્રાણીઓ એવી પ્રજાતિઓના છે જે દરિયાની સપાટી પર પણ રહે છે. નવી શોધ સૂચવે છે કે બંને ઇકોસિસ્ટમ એકબીજા સાથે જોડાયેલા છે. સંશોધકોનું અનુમાન છે કે સપાટીની ઇકો સિસ્ટમમાંથી નાના લાર્વા છિદ્રાળુ વાળામુખીના ખડકોમાંથી નીચેની પોલાણની ઇકોસિસ્ટમમાં વસવાટ કરે છે. સંશોધન ટીમના આ અભ્યાસના પરિણામો નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech