જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રીંજપર ગામમાં રહેતી એક અપરણીત યુવતીને પોતાના ઘેર કોઈ ઝેરી જાનવર કરડી જતાં ઝેરી અસર થયા પછી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર નજીક રીંજપર ગામમાં રહેતી રશ્મિલાબેન અરજણભાઈ બેલા નામની ૧૮ વર્ષીય અપરણિત યુવતી, કે જેને ગઈકાલે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોવાથી વિપરીત અસર થઈ હતી, અને તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા અરજણભાઈ પુનાભાઈ બેલા એ પોલીસને જાણ કરતાં લાલપુર ના એ.એસ.આઈ. ડી.સી. ગોહિલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech