પોરબંદરના બિલેશ્ર્વર પંથકના ખેડુતોએ મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ૪૫૦ આંબાના રોપાનું વાવેતર કર્યું છે.
રાજય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત અલગ-અલગ આઠ કેટેગરીનો સમાવેશ કરાયો છે.આ તમામ કેટેગરીમાં પાત્રતા ધરાવતા ખેડુતોને અને શ્રમિકોને રોજગારી સહિતના લાભ આપવામાં આવે છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને સમગ્ર ટીમ દ્વારા મનરેગા યોજનામાં વિશેષ લાભ મળે તેવા સાર્થક પ્રયાસ કરાયા છે.મનરેગા હેઠળ એક યોજનામાં સાડા બાર વીઘાથી ઓછી જમીન ધરાવતા નાના-સીમાંત ખેડુતોની ગાઈડલાઈનમાં આવતા ખેડુતોને બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત બાગાયતી રોપાના વાવેતર માટે ખેડુતોને લાભ આપવામાં આવે છે. નાના અને સિમાંત ખેડુતોને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામના ખેડુતોને લાભ અપાયો છે. બિલેશ્ર્વર ગામના ભરતભાઈ ડાયાભાઈ લુદરીયા નામના ખેડુતને મહાત્મા ગાંધી નરેગા યોજનાનો લાભ મળ્યો છે. બિલેશ્ર્વર ગામના આ લાભાર્થી ખેડુતની પસંદગી મનરેગાની ગાઈડલાઈન હેઠળ કરાઈ છે.મનરેગા યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે.બિલેશ્ર્વર ગામમાં ભરત ડાયાભાઈ લુદરીયાને તેમના ખેતરમાં ૪૫૦ થી વધુ આંબાના રોપાના વાવેતર કરવા માટે લાભ મળ્યો છે. રાણાવાવ તાલુકાના બિલેશ્ર્વર ગામે ખેડુત વ્યક્તિગત પાત્રતા ધરાવતા પસંદગી કરાઈ છે અને તેઓના ખેતરમાં આંબાનું વાવેતર થયું છે. મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ ૬૫% કૃષિ વિષયક કામની ગાઈડલાઈન મુજબ કામની પસંદગી કરાય છે.મનરેગા યોજના અંતર્ગત આ કામમાં શ્રમિકોને રોજગારી પણ પુરી પાડવામાં આવે છે.વ્યક્તિગત લાભાર્થીને મનરેગા યોજનાના લાભ આપી ખેડુતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરાય છે.ખેડુતે પોતાની સાફલ્ય ગાથા પણ જણાવી હતી. આમ, બિલેશ્ર્વર ગામના ખેડુતને યોજનાનો લાભ મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech