રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકારી યોજના મારફત ખાંડ નમક ચણા તુવેરદાળ તેલ જેવી જુદી જુદી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ તેમાં કોઈ મહિને નિયમિતતા જળવાતી નથી. ક્યારેક તુવેરદાળ આપવામાં આવે તો પણ તેનો જથ્થો રેશનકાર્ડ ધરાવતા પરિવારોની સંખ્યાની દ્રષ્ટિએ ઘણો ઓછો ફાળવવામાં આવે છે. ગયા મહિને ઓછો જથ્થો ફાળવ્યા પછી વેપારીઓએ તેનું વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો અને તેના કારણે સરકારે 80 ટકા જથ્થો ફાળવવાની ફરજ પડી હતી. પરંતુ આ વખતે તો હજુ ફાળવણી પણ થઈ નથી અને તેના કારણે ચણા અને તુવેરદાળ મળે તેવી શક્યતા નહિવત બની ગઈ છે.
સસ્તા અનાજના વેપારીઓના રાજ્ય વ્યાપી સંગઠનના આગેવાનોએ આ સંદર્ભે સરકારનું ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે નિયમિત રીતે અનિયમિત અને ઓછી માત્રામાં જથ્થો ફાળવાતો હોવાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે સરકાર એક તરફ કુપોષણ સામે જંગના એલાનની વાતો કરે છે જ્યારે બીજી બાજુ આવો માલ ફાળવવામાં આવતો નથી.
ઘણી વખત સરકાર ચીજ વસ્તુઓ ફાળવીને ગોડાઉન સુધી મોકલે છે પરંતુ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીની અપૂરતી ઈચ્છા શક્તિ અને ફરજ પ્રત્યેની બેદરકારી તથા ભ્રષ્ટાચારના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. સરકારે કડક પગલાં લઈને તાત્કાલિક અસરથી પુરવઠાની ચેઈનને વધારે સશક્ત કરી જવાબદારો સામે અને એજન્સીઓ સામે સજા અને દંડ કરી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂર હોવાની પણ લાગણી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech