રાજકોટ શહેરમાં તા.૧૯-૫-૨૦૨૫થી કોરોનાના કેસ મળવાનું શરૂ થયું છે અને આજે તા.૯-૬-૨૦૨૫ સુધીમાં કુલ ૧૦૫ કેસ નોંધાયા છે જેમાંથી ૫૪ દર્દીઓ સાજા થયા છે અને ૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી એક દર્દી ઓક્સિજન ઉપર છે.
આ વિસ્તારોમાંથી કોરોનાના નવા કેસો મળ્યા
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કોરોનાના કેસની મ્યુનિસિપલ વોર્ડવાઇઝ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તા.૮ જુનને રવિવારે રાજકોટ શહેરમાં કોરોનાના ૧૦ કેસ મળ્યા હતા જેમાં (૧) વોર્ડ નં.૨માં રૈયારોડ ઉપર ૭૯ વર્ષીય પુરૂષ (૨) વોર્ડ નં.૬માં ગંગદેવ પાર્કમાં ૮૦ વર્ષીય પુરૂષ કે જેઓ હાલ ઓક્સિજન ઉપર છે. (૩) વોર્ડ નં.૨માં સ્માર્ટ બજાર પાસે (૪) વોર્ડ નં.૨માં અંજની સોસાયટી પાસે ૮૧ વર્ષીય પુરૂષ (૫) વોર્ડ નં.૨માં છોટુનગરમાં ૪૯ વર્ષીય પુરૂષ (૬) વોર્ડ નં.૩માં રેલવે લોકો કોલોનીમાં ૩૦ વર્ષીય સ્ત્રી (૭) વોર્ડ નં.૮માં રાજલક્ષ્મી સોસાયટીમાં ૬૯ વર્ષીય પુરૂષ (૮) વોર્ડ નં.૧માં રતનમ સ્કાય સિટીમાં ૩૬ વર્ષીય પુરૂષ (૯) વોર્ડ નં.૮માં ક્રિષ્ના પાર્કમાં ૩૧ વર્ષોય પુરૂષ (૧૦) વોર્ડ નં.૮માં આદર્શ સોસાયટીમાં ૭૭ પુરૂષ સહિતનો સમાવેશ થાય છે.આ તમામ ૧૦ દર્દીઓએ ક્યાંય ટ્રાવેલ કર્યું નથી તેમજ તમામએ વેક્સિન લીધેલી છે. હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે અને તમામની તબિયત સ્ટેબલ છે
શનિવારના રોજ કોરોનાના કુલ નવ કેસ મળ્યા હતા
તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ શહેરમાં તા.૭ જુનને શનિવારના રોજ કોરોનાના કુલ નવ કેસ મળ્યા હતા જેમાં (૧) વોર્ડ નં.૭ના કિસાનપરામાં ૩૬ વર્ષીય સ્ત્રી (૨) વોર્ડ નં.૨ની પ્રગતિ સોસાયટીમાં ૧૬ વર્ષીય યુવતી અને ૫૦ વર્ષીય સ્ત્રી (૩) વોર્ડ નં.૨ના નહેરૂનગરમાં ૬૪ વર્ષીય પુરૂષ (૪) વોર્ડ નં.૧૦ની સરકારી વસાહતમાં ૬૩ વર્ષીય સ્ત્રી (૫) વોર્ડ નં.૬ની શક્તિ સોસાયટીમાં ૪૭ વર્ષીય સ્ત્રી (૬) વોર્ડ નં.૨ના ભોમેશ્વરમાં ૬૯ વર્ષીય પુરૂષ (૭) વોર્ડ નં.૯ના હરિનગરમાં ૮૫ વર્ષીય પુરૂષ અને (૮) વોર્ડ નં.૯માં એ.જી.સોસાયટી પાસે ૬૯ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. આ તમામ નવ દર્દીઓએ ક્યાંય ટ્રાવેલ કર્યું નથી તેમજ તમામએ વેક્સિન લીધેલી છે. હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે અને તમામની તબિયત સ્ટેબલ છે.
હાલ કોરોનાના લક્ષણો આવા છે
ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech