હળવદ તાલુકાના ૧૧ ગામો છેલ્લા ઘણા લાંબા સમયથી શિવપુર, ચુંપણી, રણછોડગઢ, માથક, ડુંગરપુર, માણેકવાડા, રાતાભેર, વાંકીયા, ખેતરડી, રાયધ્રા અને સમલી ગામોને પિયતના પાણી માટેની રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ૧૧ ગામોને સરદાર સરોવર નિગમની કોઈપણ બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઈનો લાભ મળતો નહતો. જેથી કરીને નર્મદાનું પાણી આપવા માટે ૬૨.૪૨ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ૧૧ ગામોના આશરે ૨૪ તળાવો, એક ચેકડેમ તથા એક નાની સિંચાઈ યોજનાને જોડવામાં આવશે. જેનાથી ૪૦૫ હેક્ટર જમીનમાં પિયતનો લાભ મળશે.
આ તકે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ માહિતી આપી હતી. જેમાં ૧૧ ગામના આગેવાનો, મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, પૂર્વ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, વલ્લ ભભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, નરેન્દ્રસિંહ રાણા, સુખુભા ઝાલા, મનસુખભાઈ કણજારીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech