જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ શહેરમાં એક પર્યટન સ્થળ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ૪ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ ગોળીબાર પહેલગામના બૈસરન ખીણના ઉપરના વિસ્તારોમાં થયો હતો. સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં આતંકવાદ દેખાતો નથી, પહેલગામ પણ તેમાંનો એક છે. આ વખતે આતંકવાદીઓએ આને પણ નિશાન બનાવ્યું છે.
માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે આ ગોળીબારમાં 4 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ હજુ પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસીઓ રાજસ્થાનથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ એક પર્યટન વિસ્તાર છે અને ઉનાળાની રજાઓ શરૂ થવાની છે, તેથી લોકો ધીમે ધીમે આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે.
અસીમ મુનીરના ઉશ્કેરણીજનક નિવેદન બાદ આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. આ પછી તુરંત જ આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે એ વાત સ્પષ્ટ હતી કે, આસીમ મનીર લશ્કર, જૈશ અને હિઝબુલ જેવા આતંકવાદી જૂથોને જમ્મુ અને કાશ્મીરમાં હુમલા કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. આ સાથે, થોડા દિવસોમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત, આતંકવાદીઓએ એવા સમયે પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની મુલાકાતે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech