પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે જેનાથી પાકિસ્તાન ચિંતિત છે. પાકિસ્તાને ભારતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે કારણ કે તેને જળ સંકટનો ડર છે. 1960માં થયેલી આ સંધિ અનુસાર સિંધુ, ચિનાબ, જેલમનું પાણી પાકિસ્તાનને અને રાવી, બિયાસ, સતલજનું પાણી ભારતને મળે છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાને એકવાર ફરી ગુહાર લગાવી છે કે ભારત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી છે કે ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ પેદા થઈ શકે છે.
ઈશાક ડારે આપી ચૂક્યા છે ભારતને ગીધડધમકી
તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર ભારતને ગીધડધમકી આપી ચૂક્યા છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનો વિવાદ નહીં ઉકેલાય તો આ યુદ્ધવિરામ વધારે દિવસ નહીં ચાલે.
શું છે સિંધુ જળ સમજૂતી?
વર્ષ 1960માં સિંધુ જળ સમજૂતી થઈ હતી. સમજૂતી હેઠળ સિંધુ, ચિનાબ, જેલમ નદીનું પાણી પાકિસ્તાનને અને રાવી, બિયાસ, સતલજનું પાણી ભારતને મળ્યું હતું. આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાનને સબક શીખવવા માટે ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech