કેબિનેટ મંત્રીનું ઉપરણાં વડે સન્માન: સેવાભાવી વેપારી દ્વારા મંદિરોમાં અગરબત્તીનું વિતરણ
ખંભાળિયામાં આવેલા પ્રખ્યાત જલારામ મંદિર ખાતે તાજેતરમાં ઉજવણી પર્વ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ મુલાકાત લીધી હતી.
અહીંના જોધપુર ગેઈટ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ મુલાકાત લઈને શીશ ઝુકાવ્યું હતું. આ સમયે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ રઘુવંશી જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા કેબિનેટ મંત્રીનું ઉપરણાં વડે સન્માન પણ કરવામાં આવ્યું હતું. અહીંના અગ્રણી વેપારી પોબારુભાઈ (ગણેશ અગરબત્તીવારા) દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શહેરના જલારામ મંદિર, રામ મંદિર, સંકીર્તન મંદિર, વિગેરે મંદિરોમાં ૧૨ ફૂટની અગરબત્તીઓ અર્પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech