રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા આજે મૃતકોના પરિવારજનોને પ્રત્યેક મૃતક દીઠ રૂ.૧૫ લાખ અને પ્રત્યેક ઇજાગ્રસ્તને રૂ.૨ લાખની સહાયના ચેક ચુકવવામાં આવ્યા હતા. ગત તા.૧૬-૪-૨૦૨૫ને બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસથી થયેલ અકસ્માતના કારણે ચાર વ્યક્તિઓ મૃત્યુ પામેલ હતા. આ દુ:ખદ ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.૧૫ લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.૨ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહાપાલિકા દ્વારા આ દુ:ખદ અને ગંભીર ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, આજ તા.૧૯-૪-૨૦૨૫ને શનિવારના રોજ મૃતકો (૧) રાજુભાઇ મનુભાઇ ગીડા (૨) સંગીતાબેન ધનરાજભાઇ ચૌધરી (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઇ હર્ષદભાઇ ભટ્ટ (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડના પરિવારજનોને રૂ.૧૫ લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મૃતકોના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી, પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરી દિલાસો વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મૃતકોના પરિવારજનોને આશ્વાસન અને દિલાસો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંબંધી કોઇપણ કામ પડે તો રાજકોટ મહાપાલિકાના દરવાજા આપના માટે ખુલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech