કામધંધો સરખો ચાલતો ન હોવાની ચિંતામાં પગલુ ભર્યુ
જામનગરના પંચેશ્ર્વર ટાવર વંડાફળીમાં રહેતા વૃઘ્ધનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય જે બાબતની ચિંતા અને મનમાં લાગી આવતા નાગેશ્ર્વર જુના ભાડાના મકાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના વંડાફળી ગરબી ચોક ખાતે રહેતા અને વેપાર કરતા ભરત વિરજીભાઇ બારીયા (ઉ.વ.૫૩) નામના વૃઘ્ધનો ઘણા સમયથી કામ ધંધો સરખો ચાલતો ન હોય અને આ બાબતની અવાર નવાર ચિંતા કરતા હતા દરમ્યાન આ અંગે મનમાં લાગી આવતા ગઇકાલે નાગેશ્ર્વર કોલોની ખાતે આવેલ જુના ભાડાના મકાનમાં તેમણે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.
આથી ટુકડી સ્થળ પર આવી તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે વંડાફળીમાં રહેતા કેટરીંગનો ધંધો કરતા પંકજ ભરતભાઇ બારીયાએ સીટી-બી ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ ચોવટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech