પરિવાર તથા વેપારી વર્તુળોમાં શોકનું મોજુ : પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગર-ખંભાળિયા હાઇવે પર સિક્કા પાટીયા પાસે ગઇ રાત્રે બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં જામનગરના આશાસ્પદ વેપારી યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજયું છે. જે બનાવને લઈને પરિવાર તથા વેપારી વર્તુળોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને બેડીગેઇટ વિસ્તારમાં જયંતીભાઈ માવાવાળા નામથી વેપારી પેઢી ચલાવતા વિજયભાઈ જયંતીભાઈ દુબલ (ઉંમર ૪૭) નામના વેપારી ગઈકાલે પોતાના વેપારના પૈસાની લેતી-દેતી ના કામ માટે પોતાની કાર લઈને જામનગરથી ખંભાળિયા ગયા હતા, અને ત્યાંથી મોડી સાંજે જામનગર પરત ફરી રહ્યા હતા.
દરમિયાન સિક્કા પાટીયા પાસે માર્ગ પર બંધ પડેલા એક ટ્રકની પાછળ કાર ધડાકાભર અથડાઈ પડતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જામનગરના આશાસ્પદ વેપારી યુવાન વિજયભાઈ દુબલનું ગંભીર ઇજા થવાના કારણે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવાર અને વેપારી વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની જાણ થતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જયારે આ અકસ્માત ના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech