જામનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂ ના જથ્થા નો આજે નાશ કરવામાં આવ્યો હતો .જેમાં કુલ રૂપિયા ૫૯ લાખ ૬૬ હજાર ની કિંમત ના દારૂ ના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવા મા આવ્યું હતું.
જામનગરના વિવિધ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાંથી ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી આજે કરવામાં આવી હતી તેમાં કુલ રૂપિયા ૫૯, ૬૬,૦૧૬ ની કીમત ની ૧૫૪૩૬ નંગ દારૂ ની બોટલ નાં જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી દેવા મા આવ્યું હતું.
જામનગર ના એરપોર્ટ માર્ગે નવી આરટીઓ કચેરી સામે ના વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી હતી .આ સમયે એસ ડી એમ પી બી પરમાર , ડીવાયએસપી જે એન ઝાલા, નશાબંધી અધિક્ષક, પ્રોબેશન ડી વાય એસ પી, નયના ગોરડિયા, શહેર મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ડી પરમાર અને પી વી ડોડીયા સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech