ભાવનગરના સિદસરમાં એક કરૂણ ઘટના બની છે. અહીં સિદસરના બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં ચારેયના કમકમાટીભર્યો કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં નહાવા માટે પડી હતી. પરંતું પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. એકની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. ત્રણે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.
બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. જેમાં કિંજલબેન મનીષભાઇ ચારોડિયા ઉંમર - 13 વર્ષના ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રાશીબેન મનીષભાઈ ચરોડિયા ઉંમર - 9 વર્ષ, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા ઉંમર - 13 વર્ષ તથા અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉંમર - 13 વર્ષ તેમજ ધીંગીબેન વિજયભાઈ પરમાર ઉંમર - 8 વર્ષના મોત થયા છે. આ તમામ મફતનગર બોરતળાવ પાછળ દેવી પૂજક વાસના રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech