જામનગર પુરના વહેતા પાણી વચ્ચે વચ્ચે સામાજીક સંસ્થાના સ્વયંસેવકોએ સેવા કરવા દોડ મુકી
રોટરી કલબ ઓફ છોટીકાશી દ્રારા શહેરમાં પુરની સ્થિતિ વચ્ચે ફુડ પેકેટ વિતરણ કરાયા.
જામનગરમાં સતત પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. ત્રણ દિવસ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશકેલ બન્યુ હતુ. તો હજારો લોકો પોતાનુ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થાળાંતર થવા મજબુર બન્યા હતા. આ કૃદરતી આફત વચ્ચે રોટરી કલબ ઓફ છોટીકાશી પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલુ વરસાદે પહોચીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ રો. ડો. બ્રિજેશ રૂપારેલિયા દ્રારા સંસ્થા દ્રારા કૃદરતી આફતે લોકોને મદદરૂપ થવાનો વિચાર રજુ કરાતાની સાથે સંસ્થાના સક્રિય કાર્યકર રો. હમીરભાઇ ઓડેદરાએ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા ફુડપેકેટ વિતરણનુ કરવાનુ જણાવી ફુડપેકેટ તૈયાર કરાવ્યા. સતત ત્રણ દિવસ 20 જેટલા સ્વયંસેવકોએ અલગ-અલગ પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ભોજન પહોચાડીને પોતાની સામાજીક જવાબદારી નિભાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech