અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે યુનિવર્સિટીમાં ભણતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે ભગવા ખેસ પહેરેલા કેટલાક શખ્શોએ હુમલો કર્યો હતો. જય શ્રી રામના નારા લગાવતા આ ટોળાએ હોસ્ટેલના પરિસરમાં ઘુસીને વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.
સમગ્ર ઘટના મુજબ ગઈકાલે મોડીરાતે યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા, તે દરમિયાન 150થી વધુ ભગવા ખેસ પહેરેલા લોકોનું ટોળું હોસ્ટેલમાં ઘુસ્યુ હતું. આ દરમિયાન આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ કરી હતી. તો હોસ્ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં 3 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચ્યા તેઓની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
તેમજ ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફ અને સિસ્ટમ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે તે વિદેશી નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ જતી હોવાનું જણાઈ રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓની હાજરીમાં વિદેશી વિદ્યાર્થીઓને બેરહેમીથી મારવામાં આવ્યો હતો. માહિતી બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર ઘટનાને પગલે અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. જેમાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર ઘટનાનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "કેટલી શરમજનક વાત છે. જ્યારે તમારી ભક્તિ અને ધાર્મિક નારાઓ ત્યારે જ સામે આવે છે જ્યારે મુસ્લિમો તેમના ધર્મનું શાંતિપૂર્વક પાલન કરે છે. જ્યારે તમે મુસ્લિમોને જોઈને બિનજરૂરી રીતે ગુસ્સે થઈ જાઓ છો. આ સામૂહિક કટ્ટરવાદ નથી તો શું છે ? આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે. તેઓ આ મામલે આકરા પગલા લેવા હસ્તક્ષેપ કરશે?” આ ઉપરાંત તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને ટેગ કરીને પણ કહ્યું છે કે, ઘરેલું મુસ્લિમ વિરોધી નફરત ભારતની સદ્ભાવનાને નષ્ટ કરી રહી છે.
આ ઉપરાંત ઘટના અંગે NSUI દ્વારા જવાબદાર કર્મચારીઓને બરતરફ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. NSUIએ પૂછ્યું હતું કે, "શું વિદેશી નાગરિકો ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષિત નથી? સુરક્ષા અને વિકાસના દાવા હેઠળ ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદેશી નાગરિકોને તંત્ર બચાવી શકતું નથી ?. કેટલાક તત્વો વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલના પરિસરમાં ઘૂસીને તોડફોડ કરી અને તેઓએ વિદ્યાર્થીઓને માર માર્યો, પછી ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષા પર સવાલો ઉભા થયા, ગુજરાત યુનિવર્સિટીની સિસ્ટમ પર સવાલો ઉભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMજામનગર શહેરમાં યુવાનનું સિનેમામાં જ હાર્ટએટેકથી મૃત્યુ
May 21, 2025 01:53 PMધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલમાં રસમાંથી વંદો નિકળતા ૧૦ હજારનો દંડ
May 21, 2025 01:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech