આજે બપોરના સમયે મુંબઈની એક બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માત ડોમ્બિવલી વિસ્તારમાં થયો હતો. જ્યાં પ્રચંડ જ્વાળાઓથી ઘેરાયેલી આ બિલ્ડીંગના રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત શોર્ટ સર્કિટના કારણે થયો હતો. જો કે આ કેસમાં વધારાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
અકસ્માત મુંબઈના ડોમ્બિવલી નજીક ખોની પાલવાના ડાઉનટાઉન બિલ્ડિંગમાં થયો હતો, જ્યાં શોર્ટ સર્કિટને કારણે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આગ સાતમા માળેથી શરૂ થઈ હતી, જે પછી તે થોડી જ વારમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે, દુર્ઘટનામાં સદભાગ્યની વાત એ હતી કે આ રહેણાંક મકાનમાં ત્રીજા માળ સુધી જ લોકો રહેતા હતા.
આવી સ્થિતિમાં આગ લાગ્યા બાદ તરત જ અહીં રહેતા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ટીમ બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો સતત પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech