RCB નાસભાગ કેસમાં ઘટસ્ફોટ: DCP એ અગાઉથી જ સરકારને આપી હતી ચેતવણી, 'લાખો ચાહકોને સંભાળવા મુશ્કેલ પડશે'

  • June 08, 2025 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના IPL 2025 વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભયાવહ નાસભાગ, જેમાં 11 લોકોના મોત થયા અને 33 ઘાયલ થયા, તે મામલે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યું છે કે, બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) એ આટલી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડવાની સંભાવના અંગે રાજ્ય સરકારને અગાઉથી જ ચેતવણી આપી હતી.

બેંગલુરુ ભાગદોડ કેસમાં રવિવારે નવો ખુલાસો થયો છે, જેણે સરકાર પર સવાલો ઊભા કર્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) એમ.એન. કરિબાસવના ગૌડાએ ૪ જૂનના રોજ RCB ની વિક્ટરી પરેડ પહેલાં જ રાજ્ય સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી.

આ પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે RCB ની ફેન ફોલોઇંગ સમગ્ર દેશમાં છે. જો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાય, તો લાખો લોકો ત્યાં પહોંચી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસ પાસે પર્યાપ્ત દળ નથી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે.

આ પત્ર સપાટી પર આવ્યા પછી, સરકાર પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે અગાઉથી જ ભીડ અને સુરક્ષાના જોખમની જાણકારી હતી, ત્યારે આટલા મોટા આયોજનની પરવાનગી શા માટે આપવામાં આવી?

વાસ્તવમાં ૪ જૂનના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ૧૧ લોકોના મોત થયા અને ૭૫ લોકો ઘાયલ થયા હતા.

જોકે, આ ચેતવણીને પૂરતી ગંભીરતાથી લેવામાં ન આવી હોવાનું લાગી રહ્યું છે, જેના પરિણામે આ કરુણ દુર્ઘટના સર્જાઈ. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અગાઉ સ્વીકાર્યું હતું કે, "અમને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી." પરંતુ હવે DCP ની પૂર્વ ચેતવણી સામે આવતા, વહીવટીતંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application