દેશના કુશળ અભિનેતાઓમાંના એક અને મોટા પડદાથી લઈને ઓટીટી પ્લેટફોર્મ સુધી પોતાના અભિનયનો જાદુ ફેલાવનાર મનોજ બાજપેયીની ફિલ્મો અને વેબ સિરીઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 'સત્યા' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મોમાં મનોજ બાજપેયીના પાત્રને લોકો આજે પણ યાદ કરે છે. તેનું કારણ સ્વાભાવિક છે કે તે દરેક વખતે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. જે તેને અન્ય કલાકારોથી અલગ બનાવે છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે મનોજ બાજપેયી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જેના વિશે હવે અભિનેતાએ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
મનોજ બાજપેયીની આગામી નેટફ્લિક્સ શ્રેણી 'કિલર સૂપ' 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ માટે તે પ્રમોશનના કામમાં વ્યસ્ત છે. પણ આ તરફ મનોજ બાજપેયીનું નામ પણ કેટલાક દિવસોથી રાજકીય ક્ષેત્રે ઉછળી રહ્યું છે. રાજકારણમાં તેના પ્રવેશ અંગેની વહેતી અટકળોને ધ્યાને રાખી સોશિયલ મીડિયા પર ખાસ ટ્વીટ કરી છે.
અભિનેતા મનોજ બાજપેયીએ કરેલી ટ્વીટમાં લખ્યું છે કે, "મને જણાવો કે આવું કોણે કહ્યું છે? શું તમે કાલે રાત્રે સપનું જોયું?" આ પ્રકારના સવાલો કરતી ટ્વીટ કરી રાજકારણમાં તેમના પ્રવેશવાની અટકળો અને અફવાની વાતને રદિયો આપ્યો હતો. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી તેઓ નજીકના ભવિષ્યમાં રાજકારણમાં આવવાનું વિચારી રહ્યા નથી તે વાત સ્પષ્ટ કરી છે. જોકે મનોજ વાજપેયીને પડદા પર અભિનય કરતા જોવાનું પસંદ કરતા તેના ચાહકો માટે આ સારા સમાચાર જ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર તરીકે પશ્ચિમ ચંપારણ લોકસભા સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. અભિનેતાના મૌનથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું પરંતુ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી આ અટકળોને નકારી કાઢવામાં આવી છે અને તમામ અફવાઓને ખૂદ અભિનેતા મનોજ બાજપેયીએ ફગાવી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech